આજે ગુજરાતભરની તમામ કોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જી.આર.ઉઘવાણીનું કોરોનાથી નિધન થતાં કોર્ટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેના માટે હાઈકોર્ટના રજીસ્ટ્રી વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. જસ્ટિસ જી.આર ઉધવાણીના નિધનના પગલે આજે રાજ્યની તમામ કોર્ટ બંધ રહેશે. જેના માટે ગુજરાત હાઈકોર્ટેના રજીસ્ટ્રી વિભાગે એક પરિપત્ર બહાર પાડીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની તમામ કોર્ટ બંધ રાખવા અંગે ચીફ જસ્ટિસ સહિત એડવોકેટ જનરલને પણ જાણ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ગુજરાત હાઈકોર્ટના સીટીંગ જજ જસ્ટિસ જી.આર. ઉધવાણીના નિધનના શોકમાં રાજ્યની તમામ કોર્ટ અને કચેરીઓ બંધ રહેશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ પણ 7મી ડિસેમ્બરથી 11મી ડિસેમ્બર સુધી ઉપલબ્ધ નથી. આ સિવાય જસ્ટિસ જી.આર. ઉધવાનીના 7 અને 8 ડિસેમ્બરના રોસ્ટરમાં લાગેલા કેસ જસ્ટિસ વી.એમ. પંચોલી સાંભળશે.
ગુજરાત હાઈકોર્ટના સિનિયર ન્યાયાધીશ જી.આર. ઉધવાણીનું શનિવારે વહેલી સવારે કોરોનાના કારણે 59 વર્ષની વયે અમદાવાદના સાલ હોસ્પિટલમાં અવસાન થયું હતું. અગાઉ તેઓ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પણ રહી ચૂક્યા છે.
નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાણીની વર્ષ 2004માં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. 2011થી 2012 વચ્ચે તેઓ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પણ રહી ચૂક્યા છે. તેઓ મૂળ અમદાવાદના વતની જસ્ટિસ જી.આર. ઉધવાણીએ 1986માં એલ.એ લૉ કોલેજમાંથી LLB કર્યું હતુ. 1987માં તેમણે વકીલાત તરીકેની પ્રેક્ટીસ શરૂ કરી હતી. વર્ષ 1997માં અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટના જજ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.